PM મોદીએ રવિવારે (25 મે, 2025) પોતાના રેડિયો શો ‘મન કી બાત’ના 122મા એપિસોડને સંબોધિત કર્યો છે. ઑપરેશન સિંદૂર સફળ થયા બાદ પ્રથમ વખત તેમણે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો છે. આ દરમિયાન તેમણે ઑપરેશન સિંદૂર અને સૈન્યના પરાક્રમની વાત પણ કરી હતી. વધુમાં તેમણે આતંકી ઠેકાણાંને ધ્વસ્ત કર્યા સમયની તસવીરો પણ દેશની જનતાને બતાવી હતી.
તેમણે કહ્યું કે, “ઑપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય મિશન નથી, આ આપણાં સંકલ્પ, સાહસ અને બદલાતા ભારતની તસવીર છે અને આ તસવીરે આખા દેશને દેશભક્તિના ભાવમાં રંગી નાખ્યો છે. આ તસવીરે આખા દેશને તિરંગામાં રંગી નાખ્યો છે. તેમણે કહ્યું કે, આજે આખો દેશ આતંકવાદ વિરુદ્ધ એકજુટ છે.”
In the 122nd Episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The precision and accuracy with which our forces destroyed the terrorist hideouts across the border is extraordinary. Operation Sindoor is not just a military mission; it is a picture of our resolve,… pic.twitter.com/rSsLlA0YBz
— ANI (@ANI) May 25, 2025
વધુમાં તેમણે ઉમેર્યું કે, “આપણી સેનાએ જે સટીકતા સાથે સરહદ પાર આતંકી ઠેકાણાંને નષ્ટ કર્યા, તે અસાધારણ કાર્ય છે.” આ ઉપરાંત તેમણે નષ્ટ થયેલા આતંકી ઠેકાણાંની તસવીરો પણ શેર કરી હતી. તે સેટેલાઈટ ફોટામાં જોઈ શકાય છે કે, પાકિસ્તાન અને POKમાં આતંકી ઠેકાણાંને સટીકતા સાથે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.