આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એક નિવેદન આપતાં કહ્યું કે તિરુમાલા મંદિરે માત્ર હિંદુઓ જ કામ કરતા હોવા જોઈએ.
"Only Hindus should be employed at the Tirumala Temple. If individuals from other religions are currently working there, they will be relocated to other places without hurting their sentiments," says Andhra Pradesh CM N Chandrababu Naidu" pic.twitter.com/GUAFPtbviK
— ANI (@ANI) March 21, 2025
શુક્રવારે (21 માર્ચ) તેમણે આ નિવેદન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે હાલ અન્ય પંથ-મઝહબોના જે લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે તેમને તેમની ભાવનાઓનું સન્માન કરીને અન્યત્ર ખસેડી દેવામાં આવશે.
ગત મહિને જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે બોર્ડ સંચાલિત વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કુલ 18 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કારણ એ હતું કે તેઓ હિંદુ રીતરિવાજો પાળતા હોવાની બાંહેધરી આપી હોવા છતાં ખ્રિસ્તી પરંપરા અનુસરી રહ્યા હતા. જોકે આમાંથી મુખ્ય મંદિરમાં કોઈ કામ કરતું ન હતું, ટ્રસ્ટની બાકીની સંસ્થાઓમાં હતા. આ તમામે ભગવાન સામે એ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે પોતે હિંદુ ધર્મ પાળી રહ્યા છે, પણ પછીથી અન્ય પંથની પ્રવૃત્તિઓમાં જોડાયા હતા.
2018ના એક રિપોર્ટ અનુસાર TTDની સંસ્થાઓમાં કુલ 44 અન્ય ધર્મ-પંથના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. નવેમ્બર 2024માં થયેલી એક બેઠકમાં જણાવાયું હતું કે મંદિર અને અન્ય સંસ્થાઓમાં જે બિનહિંદુઓ કામ કરે છે તેની જાણ સરકારને કરવામાં આવે.