રતન ટાટાએ 9 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ ઉદ્યોગપતિના નિધનના માનમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારોએ ગુરુવારે એટલે કે 10 ઓક્ટોબરે રાજ્યમાં શોક જાહેર કર્યો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી ઊંચાઈએ ફરકાવવામાં આવશે.
#WATCH मुंबई: उद्योगपति रतन टाटा के निधन पर महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने कहा, "एक अनमोल रत्न नहीं रहे हैं। भारत के कोहिनूर नहीं रहे, वो हमसे बिछड़ गए। रतन टाटा हमारे बीच नहीं रहे ये हमारे दुखद है। वो महाराष्ट्र और भारत देश के अभिमान थे…उनको देख कर लोगों में ऊर्जा और… pic.twitter.com/QqRv9rpfes
— ANI_HindiNews (@AHindinews) October 9, 2024
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને પણ પીઢ ઉદ્યોગપતિના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમના રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.
झारखंड जैसे देश के पिछड़े राज्य को विश्व में पहचान दिलाने वाले टाटा समूह के पूर्व चेयरमैन एवं पद्मविभूषण श्री रतन टाटा जी के देहावसान पर एक दिवसीय राज्यकीय शोक की घोषणा की जाती है। pic.twitter.com/HS5CzpH4mn
— Hemant Soren (@HemantSorenJMM) October 9, 2024