જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રીગુંડીચા મંદિર પાસે ભાગદોડ મચવાથી ત્રણ લોકોનાં મોત થયા બાદ આ મામલે ઓડિશા સરકારે કાર્યવાહી કરીને અમુક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો અમુકને બદલી કરી દીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ ઘટના બદલ જગન્નાથજી અને ભક્તોની માફી માંગી છે.
ଶରଧାବାଲିରେ ମହାପ୍ରଭୁଙ୍କ ଦର୍ଶନ ନିମନ୍ତେ ଭକ୍ତମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରବଳ ଉତ୍କଣ୍ଠା ଜନିତ ଠେଲାପେଲା କାରଣରୁ ଘଟିଥିବା ଅଘଟଣ ପାଇଁ ବ୍ୟକ୍ତିଗତ ଭାବେ ମୁଁ ଏବଂ ମୋ ସରକାର ସମସ୍ତ ଜଗନ୍ନାଥପ୍ରେମୀଙ୍କ ନିକଟରେ କ୍ଷମା ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। ଯେଉଁ ଭକ୍ତମାନଙ୍କର ଜୀବନଦୀପ ଶରଧାବାଲିରେ ଲିଭିଯାଇଛି ସେମାନଙ୍କ ପରିବାରବର୍ଗଙ୍କୁ ସମବେଦନା ଜଣାଇବା…
— Mohan Charan Majhi (@MohanMOdisha) June 29, 2025
સીએમ માઝીએ એક પોસ્ટ કરીને કહ્યું કે, ભક્તોમાં મહાપ્રભુનો દર્શન કરવાનો ઉત્સાહ ઘણો હતો અને એવામાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટતાં આ સ્થિતિ સર્જાઈ. હું અંગત રીતે અને સરકાર તરફથી તમામ જગન્નાથ ભક્તોની માફી માંગું છું. ઘટનામાં જીવ ગુમાવનારા ભક્તોના પરિજનોને સાંત્વના પાઠવું છું. તેમના આત્માની સદ્ગતિ માટે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના.”
તેમણે ઉમેર્યું કે, “આ બેદરકારી અક્ષમ્ય છે. આ મામલે તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જેઓ પણ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તમામ આવશ્યક પગલાં લેવામાં આવે તે માટે મેં નિર્દેશો આપ્યા છે.”
ઘટના મામલે સરકારે DM અને એએસપીની બદલી કરી દીધી છે. તેમના સ્થાને નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. ઉપરાંત બે અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.