દિલ્હી વિધાનસભાની (Delhi Assembly Elections) 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન છે. તે પહેલાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. 2 ફેબ્રુઆરી, 2025ના રોજ આરકે પુરમમાં ‘સંકલ્પ રેલી’ને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે એક પણ ઝૂંપડપટ્ટી (slum) તોડી પાડવામાં આવશે નહીં. તેમણે આમ આદમી પાર્ટી (AAP) પર આ મામલે અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी आर.के.पुरम से विकसित दिल्ली संकल्प रैली को संबोधित कर रहे है। @Virend_Sachdeva#विकसित_दिल्ली_संकल्प_रैली https://t.co/qrEEtYtzqu
— BJP Delhi (@BJP4Delhi) February 2, 2025
પીએમ મોદીએ આ જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવાને ફગાવી દેતા કરી હતી, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે જો ભાજપ સરકાર બનાવશે તો બધી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવશે. ભાજપની તરફેણમાં મતોની અપીલ કરતી વખતે, પીએમએ કહ્યું, “દિલ્હીમાં એક પણ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવશે નહીં. કોઈ પણ જન કલ્યાણકારી યોજના બંધ કરવામાં આવશે નહીં. ભાજપ, AAPની જેમ, ફક્ત જાહેરાતો માટે જ જાહેરાતો કરતું નથી, પરંતુ બજેટમાં તેમના માટે વ્યવસ્થા પણ કરે છે.”