Friday, May 16, 2025
More

    રાજૌરીમાં સેના પર નહોતો થયો કોઈ આત્મઘાતી હુમલો: વાયરલ સમાચારને સેનાએ ગણાવ્યા ખોટા

    ગુરુવારે (8 મે, 2025) જમ્મુ અને દેશના અન્ય ભાગો પર પાકિસ્તાનના હુમલા વચ્ચે, જમ્મુ અને કાશ્મીર રાજૌરીમાં (Rajouri) આત્મઘાતી હુમલાના સમાચાર વાયરલ થયા હતા. ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ હુમલો થયો નથી અને આવા બધા અહેવાલો પાયાવિહોણા અને ભ્રામક (misleading Report) છે.

    આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય સેનાની એક ટુકડી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં મોટા નુકસાનનો પણ ઉલ્લેખ હતો. જોકે, સેનાએ તેનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો. દરમિયાન, ભારતે ગુરુવારે સાંજે પાકિસ્તાની વાયુસેનાના એક પાયલટને જીવતો પકડી લીધો છે. ભારત હાલ પાકિસ્તાનના આ આતંકવાદી કૃત્યનો સતત જવાબ આપી રહ્યું છે.