Saturday, May 17, 2025
More

    S-400 એર ડિફેન્સ સિસ્ટમને કોઈ નુકસાન પહોંચ્યું નથી, નષ્ટ થઈ હોવાના અહેવાલો તદ્દન ખોટા: સુરક્ષાબળોની સ્પષ્ટતા

    પાકિસ્તાન સાથે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે દેશની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને આ પ્રકારના અહેવાલો ખોટા અને પાયાવિહોણા છે. 

    સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે S-400 સિસ્ટમ નષ્ટ કરવામાં આવી હોવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું નથી અને એટલી જ તીવ્રતાથી અને મજબૂતીથી કામ કરી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી ભારતની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દીધી હોવાના તદ્દન ખોટા અને કાલ્પનિક અહેવાલો ફરતા કરવામાં આવી રહ્યા છે.