ઑપરેશન સિંદૂર લૉન્ચ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે માહોલ ગરમાયો છે. આતંકી દેશ પાકિસ્તાન વારંવાર ભારતના વિવિધ ભાગો પર હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ તે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ફેક ન્યૂઝ ફેલાવવાના પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ભારતના તમામ એરપોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જોકે, આ દાવાને લઈને PIBએ સ્પષ્ટતા કરી છે અને દાવાને ખોટો ગણાવ્યો છે. એટલે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચાર ખોટા છે.
🛑 Fake News Alert
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
Social media posts are claiming that entry to airports across India banned#PIBFactCheck:
❌ This claim is #FAKE
✅ Government has taken no such decision pic.twitter.com/MoaUcQqO2d
PIBએ વધુમાં એવું પણ કહ્યું છે કે, સરકાર તરફથી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માટે આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ભ્રામક અને પ્રોપગેન્ડા ન્યૂઝ ચલાવવામાં આવી શકે છે. આધિકારિક માહિતી પર વિશ્વાસ કરવો હિતાવહ.