રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના (NDA CMs) મુખ્યમંત્રીઓનું સંમેલન રવિવારના (25 મે, 2025) રોજ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં યોજાયું હતું. તેમાં 20થી વધુ મુખ્યમંત્રીઓ અને 18 નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.
આ પરિષદમાં બે મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પહેલો ઠરાવ ઑપરેશન સિંદૂરની (Operation Sindoor) સફળતા પર હતો, જેમાં સશસ્ત્ર દળોની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી હતી. આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. બીજો પ્રસ્તાવ જાતિગત વસ્તી ગણતરી (Caste Census) અંગેનો હતો, જે સમાજના વંચિત, શોષિત અને ઉપેક્ષિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જરૂરી હોવાનું કહેવાય છે.
#OperationSindoor, #CasteCensus got unanimous backing in the NDA Chief Ministers' conclave held under the leadership of PM #Modi.https://t.co/SuZHBDUgpx
— The New Indian Express (@NewIndianXpress) May 25, 2025
આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ દરખાસ્તોની પ્રશંસા કરી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જાતિગત વસ્તી ગણતરીનો હેતુ જાતિ રાજકારણ નથી પરંતુ સામાજિક સમાવેશ છે.
કોન્ફરન્સમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈના બસ્તર ઓલિમ્પિક્સ (Bastar Olympics) અને બસ્તર પાંડુમ પહેલની (Bastar Pandum) પણ પ્રશંસા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ વિચારમંથનમાં હાજર રહ્યા હતા, જેમાં સુશાસન અને નવીનતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.