છત્તીસગઢમાં (Chhattisgarh) આવેલા બીજાપુરમાં (Bijapur) નક્સલી હુમલો (Naxalite attack) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સોમવારે (6 જાન્યુઆરી) નક્સલવાદીઓએ બીજાપુરમાં LED બ્લાસ્ટ કરીને જવાનોને લઈને જઈ રહેલા વાહનને ઉડાવી દીધું હતું. આ ઘાતક હુમલામાં દંતેવાડા DRGના 8 જવાનો વીરગતિને (8 Jawans martyred) પામ્યા છે અને ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું છે.
IG બસ્તર રેન્જ સુંદરરાજ પીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, બીજાપુરથી સંયુક્ત ઑપરેશન પાર્ટી ઑપરેશન પૂરું કરીને પરત ફરી રહી હતી. દરમિયાન સોમવારે બપોરે 2 કલાકે બીજાપુર મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર સુંદર અંબેલી ગામની પાસે નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો.
#BreakingNews: #NaxaliteAttack In #Chhattisgarh
— Mirror Now (@MirrorNow) January 6, 2025
8 Jawans & 1 Driver Feared Dead In Attack
Naxals Targeted Police Vehicle
Naxals Used IED To Blow Up Vehicle
Times Network's Satyender shares more details#Bijapur | @pareektweets pic.twitter.com/iFWe418hH6
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, લગભગ 10 ફૂટનો ખાડો થઈ ગયો હતો અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગાડીના ઘણા પાર્ટસ 25 ફૂટ ઊંચે ઝાડ પર મળી આવ્યા છે. આ હુમલામાં 8 જવાનો વીરગતિને પામ્યા છે અને એક ડ્રાઈવરનું પણ મોત થયું છે.