મંગળવારે, 26 નવેમ્બરના રોજ, બાંગ્લાદેશની (Bangladesh) કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્રણી હિંદુ નેતા અને ઇસ્કોન (ISKCON) સાધુ ચિન્મય કૃષ્ણ દાસનો (Chinmoy Krishna Das) બચાવ કરતા મુસ્લિમ વકીલની હત્યા કરવામાં આવી છે.
મૃતકની ઓળખ તાલીમાર્થી વકીલ સૈફુલ ઈસ્લામ અલીફ તરીકે થઈ છે.
#BREAKING | Muslim lawyer defending ISKON's Chinmoy Krishna Das killed
— Republic (@republic) November 26, 2024
Tune in for all live updates here – https://t.co/t1wl2ITAJ5#ChinmoyKrishnaDas #Bangladesh #Hindus pic.twitter.com/DKdAm282Nq
સોમવાર, 25 નવેમ્બરના રોજ, બાંગ્લાદેશ પોલીસે એક હિંદુ સાધુની ધરપકડ કરી હતી, જેણે સંઘર્ષગ્રસ્ત દેશમાં એક વિવાદને જન્મ આપ્યો હતો. આ ઘટના વડાપ્રધાન શેખ હસીનાને પદ પરથી હટાવ્યા બાદ બની હતી. આ પછી, ઇસ્લામિક તોફાનીઓએ દેશભારમાં હિંદુઓ પર ઘાતક હુમલા કર્યા હતા. બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓના અગ્રણી નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ઢાકામાં ધરપકડ કરવામાં આવી હતી. દાસ આ મુસ્લિમ રાષ્ટ્રમાં લઘુમતી અધિકારોના રક્ષણની હિમાયત કરનારા અગ્રણી નેતાઓમાંના એક હતા.