Friday, May 23, 2025
More

    ‘તમે મુસ્લિમ કમિશનર હતા, ઝારખંડમાં ઘુસણખોરોને બનાવ્યા મતદાર’: વક્ફ કાયદા પર ‘જ્ઞાન’ આપી રહ્યા હતા પૂર્વ ચૂંટણી આયુક્ત કુરેશી, નિશિકાંત દુબેએ લીધા આડેહાથ

    ઝારખંડના (Jharkhand) ગોડ્ડાથી ભાજપના સાંસદ (Godda BJP MP) નિશિકાંત દુબેએ (Nishikant Dubey) કહ્યું હતું કે દેશમાં ગૃહયુદ્ધ માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. જોકે, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પાર્ટીને આ નિવેદનથી દૂર રાખી હતી અને નેતાઓને ન્યાયતંત્ર વિરુદ્ધ નિવેદનો આપવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

    હવે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી નિશિકાંત દુબેના રડાર પર આવી ગયા છે. કુરેશીએ દાવો કર્યો હતો કે નવો વક્ફ કાયદો મુસ્લિમોની જમીનો હડપ કરવા માટે મોદી સરકારની એક ભયંકર અને પાપી યોજના છે. એસવાય કુરેશીના મતે, તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ તેની વિરુદ્ધ નિર્ણય આપશે. તેમણે સરકારના ‘પ્રચાર મશીન’ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો.

    નિશિકાંત દુબેએ તેમની આ ચાલાકી પર પ્રહાર કરતા લખ્યું, “તમે ચૂંટણી કમિશનર નહીં, પણ મુસ્લિમ કમિશનર હતા. તમારા કાર્યકાળ દરમિયાન ઝારખંડના સંથાલ પરગણામાં સૌથી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને મતદાર બનાવવામાં આવ્યા હતા. પયગંબર મુહમ્મદનો ઇસ્લામ 712માં ભારતમાં આવ્યો, તે પહેલાં આ ભૂમિ હિંદુઓ અથવા તે ધર્મ સાથે સંકળાયેલા આદિવાસીઓ, જૈનો કે બૌદ્ધોની હતી.”

    નિશિકાંત દુબેએ એમ પણ જણાવ્યું કે 1189માં બખ્તિયાર ખિલજી દ્વારા તેમના ગામ વિક્રમશિલાને બાળી નાખવામાં આવ્યું હતું. તેમણે એ પણ માહિતી આપી કે કેવી રીતે વિક્રમશિલા યુનિવર્સિટીએ આતિશ દીપાંકરના રૂપમાં દેશને તેનો પ્રથમ કુલપતિ આપ્યો. નિશિકાંત દુબેએ ચેતવણી આપી હતી કે, “આ દેશને એક કરો, ઇતિહાસ વાંચો… તોડવાથી પાકિસ્તાનનું નિર્માણ થયું હતું, હવે કોઈ વિભાજન થશે નહીં.”

    ઉલ્લેખનીય છે કે નવા વક્ફ કાયદાની સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા ચાલી રહી છે અને તેની કેટલીક જોગવાઈઓ આગામી સુનાવણી સુધી મુલતવી રાખવામાં આવી છે. આનાથી નારાજ લોકો પૂછી રહ્યા છે કે શું મોદી સરકારના દરેક નિર્ણયની ન્યાયિક તપાસ કરવી પડશે?