Sunday, April 20, 2025
More

    ‘હિંદુઓ ડરેલા છે… આવું જ ચાલ્યું તો મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી પણ ભાગવું પડશે’: મુર્શિદાબાદ હિંસા મામલે સામે આવી બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની પ્રતિક્રિયા

    પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા (Murshidabad Violence) આચરવામાં આવી હતી. પસંદગીપૂર્વક હિંદુઓના ઘર-દુકાનો બાળી નાખવામાં આવ્યા હતા. જેના પગલે ઘણા હિંદુઓ પલાયન કરતા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ દરમિયાન બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Pandit Dhirendra Krishna Shastri) પણ મુર્શિદાબાદ હિંસા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

    ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું છે કે ભારતમાં હિંદુઓ ડરેલા છે. એ દિવસ દૂર નથી જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ હિંદુઓએ ભાગવું પડશે.

    તેમણે કહ્યું કે, “મેં સાંભળ્યું છે કે હિંદુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે. જો આવું જ ચાલુ રહેશે, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ હિંદુઓએ ભાગવું પડશે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “આ બધું પહેલેથી જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે. આ દેશ માટે અને ખાસ કરીને હિંદુઓ માટે દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે હિંદુઓ એક નથી. પણ, મને વિશ્વાસ છે કે આ બધું જલ્દી બંધ થઈ જશે.”