વક્ફ સંશોધન બિલનો વિરોધ કરવા માટે 17 માર્ચના રોજ દિલ્હીના જંતર-મંતર (Jantar-Mantar) ખાતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) લોકો પહોંચી ગયા હતા. આ લોકોને AIMIM નેતા અસસુદ્દીન ઔવેસી જેવા અન્ય નેતાઓનું પણ સમર્થન છે. બીજી તરફ આ બિલનું સમર્થન કરવા હિંદુઓ પણ જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા.
આ દરમિયાન જંતર મંતર પર હજારો મુસ્લિમોની ભીડ ભેગી થઈ હતી, જેમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા એ તકબીર’ જેવા કટ્ટરપંથી સુત્રોચ્ચાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક હિંદુ વ્યક્તિએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે આ ‘નારા એ તકબીર’ની જગ્યાએ ‘હર હર મહાદેવ’ના નારા લાગશે.
“पूरे हिंदुस्थान के अंदर इन कट्टरपंथियों के ख़िलाफ़ आंदोलन होगा”
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) March 17, 2025
जंतर मंतर पहुँचे हिंदू युवक। pic.twitter.com/ZIaCTSry9h
હિંદુ વ્યક્તિએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આખા ભારતમાં આ કટ્ટરપંથીઓ વિરુદ્ધ આંદોલન થશે. આ લોકો બદમાશી કરી રહ્યા છે તેમની વિરુદ્ધ આ જ જંતર-મંતર પર આંદોલન થશે” તેમણે કહ્યું હતું કે “પોલીસ પણ અમને હટાવી રહી છે પરંતુ ‘નારા એ તકબીર’ લગાવનારાને હટાવી શકતી નથી.”
हज़ारों “विशेष समुदाय” के लोग संसद भवन से कुछ ही दूरी जंतर मंतर पर नारे-ए-तकबीर के नारे लगा रहे थे।
— Sudarshan News Delhi (@SudarshanNewsDL) March 17, 2025
लेकिन सिर्फ़ पाँच हिंदुओ ने ये बोला यहाँ पर “अल्लाह हूँ अकबर” के नारे क्यों लग रहे है।
दिल्ली पुलिस ने सभी हिंदू समर्थकों को किया डीटेन। pic.twitter.com/hXiNZEHbw3
નોંધનીય છે કે, આજે જ પ્રદર્શન દરમિયાન જ્યારે મુસ્લિમોના ટોળામાં ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા એ તકબીર’ નારા લાગી રહ્યા હતા ત્યારે હિંદુઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અહીં ‘અલ્લાહુ અકબર’ના નારા કેમ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે નારા રોકવાની જગ્યાએ બિલનું સમર્થન કરવા પહોંચેલા હિંદુઓની અટકાયત કરી હતી.