Wednesday, May 14, 2025
More

    ચંડોળા તળાવની વચ્ચે 2000 વારમાં આલીશાન અવૈધ કિલ્લો બનાવનાર મહેમુદખાન પઠાણ પકડાયો: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને રહેવા જગ્યા આપી વસૂલતો હતો ભાડું

    અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન (Chandola Demolition) દરમિયાન જેનો આલીશાન મહેલ જોવો કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો તે મહેમુદખાન પઠાણ ઉર્ફે લલ્લા બિહારી આખરે પોલીસની ઝડપે (Mehmud Khan Pathan alias Lalla Bihari Arrested) આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનથી તેને ઝડપી પાડ્યો છે.

    નોંધનીય છે કે લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ અસામાજિક તત્વો માટેનો અડ્ડો બની ગયું હતું. તે ઘણા બાંગ્લાદેશીઓને ત્યાં સ્થાયી કરવામાં પણ સામેલ છે અને ઘૂસણખોરોનો મસીહા પણ છે. હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારીએ 2000 વારની વિશાળ જગ્યામાં ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ઊભું કરી નાખ્યું હતું. તેના આલીશાન ફાર્મ હાઉસનો વિડીયો પણ સામે આવ્યો હતો.

    આ પહેલા ડિમોલિશનના પહેલા જ દિવસે તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હાલ સોશિયમ મીડિયામાં નેટીઝન્સ કહી રહ્યા છે કે આ મહેમુદખાન પઠાણ ખરેખર આ તમામ સ્ટોરીનો મુખ્ય સૂત્રધાર નથી. તે માત્ર એક મોહરું જ છે અને મોટા માથાઓને બચાવવા માટે તેને આગળ કરવામાં આવ્યો છે.