Wednesday, May 14, 2025
More

    ‘ઘૂસણખોરો વિરુદ્ધ આ કાર્યવાહી આવશ્યક હતી’: ચંડોળા તળાવ આસપાસના ડિમોલેશનને લઈને મેયર પ્રતિભા જૈનનું નિવેદન

    29 એપ્રિલની વહેલી સવારથી શરૂ થયેલ મિશન ચંડોળા ક્લીન હજી પણ ચાલી રહ્યું છે. આજે પણ બંગાળી વાસમાં JBC સાથે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ જ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈનનું નિવેદન સામે આવ્યું છે, તેમણે આ કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.

    અહેવાલ અનુસાર પ્રતિભા જૈને કહ્યું હતું કે, AMC એસ્ટેટ ટીમ યોગ્ય કાર્યવાહી કરી રહી છે, ચંડોળા તથા એની આસપાસનો વિસ્તાર પણ ક્લીન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ઘૂસણખોરો વિરુદ્ધ આ કાર્યવાહી જરૂરી હતી.”

    તેમણે કહ્યું હતું કે, “બહારથી આવીને અહીં વસેલા ઘૂસણખોરો વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તે યોગ્ય છે, ચંડોળા તળાવ આસપાસ જે ન્યુસન્સ હતું તે સાફ કરવા આ જરૂરી હતું.” તેમણે આ કાર્યવાહીને યોગ્ય ગણાવી છે.

    નોંધનીય છે કે આ મામલે 29 એપ્રિલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ કમિશ્નર ઓફીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી કાર્યવાહીને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.