સોમવારે (17 માર્ચ) તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ (TMC MP Mahua Moitra) વક્ફ બોર્ડ (Waqf Board) અને મંદિર સમિતિઓની સરખામણી કરીને વિવાદ ઉભો કર્યો. મોઇત્રાએ ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રીય વક્ફ બોર્ડમાં વૈવિધ્યકરણ (બિન-મુસ્લિમોનો સમાવેશ) સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમ કે સુધારા બિલમાં પ્રસ્તાવિત છે.
આ ખૂબ જ જરૂરી સુધારા બિલનો વિરોધ કરવાના તેમના ‘ભયાવહ’નિરાશ’ પ્રયાસમાં, તેમણે વક્ફ બોર્ડની તુલના બિન-મુસ્લિમોની મિલકતો પર અતિક્રમણ કરતી મંદિર સમિતિ સાથે કરી.
200 crore Muslims of India will never accept Waqf Bill – MAHUA MOITRA pic.twitter.com/K3NcpL5Rkz
— Times Algebra (@TimesAlgebraIND) March 17, 2025
તેમણે કહ્યું, “શું આપણે આપણા કાલીઘાટ હિંદુ મંદિર બોર્ડમાં મુસ્લિમોનો સમાવેશ કરીશું? શું આપણે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિમાં (SGPC) મુસ્લિમોનો સમાવેશ કરીશું? તો, આ વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમો કેમ છે? મને આ સમજાતું નથી.” મોઇત્રાએ ખોટો દાવો કર્યો હતો કે, “ભારતમાં 2 અબજ મુસ્લિમો છે, જે ઇન્ડોનેશિયા પછી મુસ્લિમોની બીજી સૌથી મોટી વસ્તી છે.” એમ કહીને જોડ્યું કે મંદિર સમિતિ વક્ફ બોર્ડની સમકક્ષ નથી.