પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં (Prayagraj Mahakumbh – 2025) 29 જાન્યુઆરી મૌની અમાવાસ્યાના રોજ જે નાસભાગ મચી જેને લઈને વિપક્ષે ઘણું રાજકારણ કર્યું તથા ખોટી માહિતી (Misinformation) પણ ફેલાવી હતી. જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઈ હતી. ત્યારે આ મામલે હવે સરકારે સંજ્ઞાન લઈને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ અનુસાર પોલીસે સંજ્ઞાન લઈને એવા 7 સોશિયલ મીડિયા યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જે આવી ભ્રામક માહિતી ફેલાવવામાં સામેલ હતા. આ ઉપરાંત તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ આવી માહિતી ફેલાવતા લોકોને યોગી સરકારે પણ ચેતવણી આપી હતી.
Kumbh Mela Police Cracks Down on 'Misinformation'
— TIMES NOW (@TimesNow) February 4, 2025
-FIR filed against 7 social media account holders
-Legal proceedings underway
-State administration warns against 'misleading content'@anchoramitaw & @aakaaanksha with details. pic.twitter.com/PMwjPqqgM1
આ નાસભાગ બાદ CM યોગીએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી, ઉપરાંત મહાકુંભની વ્યવસ્થાઓમાં પણ મોટા બદલાવ લાવવામાં આવ્યા હતા. આ સિવાય વસંતપંચમીના અમૃત સ્નાન નિમિત્તેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા CM યોગી મહાકુંભમાં પણ પહોંચ્યા હતા. તેમણે તેમના નિવાસસ્થાન ખાતેના વોર રૂમમાંથી સમગ્ર મેળાની વ્યવસ્થાઓનું નિરક્ષણ પણ કર્યું હતું.
નોંધનીય છે કે આ ઘટના સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એવા દાવા કર્યા હતા કે મહાકુંભમાં થયેલી ભાગદોડના કારણે ‘હજારો’ લોકોના મૃત્યુ થયા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જોકે સરકારી આંકડા અનુસાર આ ઘટનામાં 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Mallikarjun Kharge's claim of "thousands" dead in the Jan 29 Kumbh stampede sparks controversy.
— TIMES NOW (@TimesNow) February 4, 2025
Dimple Yadav accuses the Yogi govt of hiding the toll, while Jaya Bachchan alleges bodies were dumped in the river, contaminating the water.@anchoramitaw & @aakaaanksha with details pic.twitter.com/gLiLfmLypI
આ સિવાય સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે મૃતદેહો નદીમાં ફેંકવામાં આવ્યા જેના કારણે નદીનું પાણી દુષિત થયું હતું. આ સિવાય સપા સુપ્રીમો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે યોગી સરકાર પર એવો આરોપ લગાવ્યો હતો કે સરકાર આંકડા છૂપાવી રહી છે.