Monday, March 17, 2025
More

    ‘અફવાહો પર ના આપો ધ્યાન, જે ઘાટ પર છો ત્યાં જ કરી લો સ્નાન’: મહાકુંભમાં મચેલ ભાગદોડ મામલે CM યોગીની ભક્તોને અપીલ, કહ્યું- પરિસ્થિતિ કાબૂમાં

    પપ્રયાગરાજ મહાકુંભમાં (Prayagraj Mahakumbh – 2025) મૌની અમાવાસ્યા (Mauni Amawasya) નિમિત્તે સંગમ ઘાટ (Sangam Ghat)  પર સ્નાન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. જેના પગલે ગત રાત્રિ 1થી 2 વાગ્યાની વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. જે મામલે CM યોગીએ (CM Yogi Adityanath) શ્રદ્ધાળુઓને અફવાહો પર ધ્યાન ન આપવા અને જે ઘાટ પર તેઓ હાજર છે ત્યાં જ સ્નાન કરવા અપીલ કરી હતી.

    CM યોગીએ કહ્યું હતું કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ આ મામલે રિપોર્ટ લીધો છે. જે લોકો ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી છે તથા પ્રસાસન પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી રહ્યું હોવાની માહિતી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે શ્રદ્ધાળુઓ શાંતિથી સ્નાન કરી શકે તે માટે મુખ્ય સચિવ, DGP, મુખ્ય મંત્રી કાર્યાલયના તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં સમગ્ર પરિસ્થિતિ પ્રશાસનના કાબૂમાં છે.

    CM યોગીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે, ભક્તોએ મા ગંગાના જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે સંગમ તરફ જવાનો પ્રયાસ ન કરે. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ સુવિધાજનક રીતે સ્નાન કરી શકે છે. તેમણે દરેકને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની તથા કોઈપણ પ્રકારની અફવાહો પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.