પ્રયાગરાજમાં ચાલી રહેલા અને 144 વર્ષ પછી આવેલ મહાકુંભમાં (Prayahraj Mahakumbh – 2025) સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, જ્યાં લાખો ભક્તો સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવા દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન (Third Amrit Snan) 3 ફેબ્રુઆરી એટલે કે વસંતપંચમીના (Vasant Panchmi) રોજ શરૂ થયું.
આમ તો મહાકુંભની શરૂઆતથી જ ભક્તો સંગમમાં ડૂબકી લગાવવા આવી રહ્યા છે પરંતુ સ્નાન કરવા માટે અમુક વિશેષ તિથિઓ નિર્ધારિત કરવામાં આવી હતી. જે અનુસાર આજે ત્રીજું અમૃત સ્નાન શરૂ થયું.
#WATCH | Prayagraj | Sadhus of various akhadas take a holy dip in Triveni Sangam on the auspicious occasion of #BasantPanchami. pic.twitter.com/4sC39rfDP7
— ANI (@ANI) February 2, 2025
ત્યારે ત્રીજા અમૃત સ્નાન માટેનું બ્રહ્મ મુર્હૂત 3 ફેબ્રુઆરી સવારે 5:23થી 6:12 સુધીનું હતું. આ દરમિયાન મહાકુંભમાં સ્નાન માટે આવેલ લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી હતી. વિવિધ અખાડાઓના નાગા સાધુઓએ પણ સંગમ તટ પર પાણીમાં ડૂબકી લગાવી હતી. પ્રત્યેક અખાડાના સાધુઓને 40-40 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો.
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન નિમિત્તે થયેલ નાસભાગને જોતા CM યોગીએ પોતે આ વખતેના અમૃત સ્નાન માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અમૃત સ્નાન સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરવા માટે વધારાના કર્મચારીઓ, તબીબી સ્ટાફ અને સંસાધનો તૈનાત કરવામાં આવ્યા હતા.