ગત વર્ષે જાન્યુઆરીમાં વડોદરાના (Vadodara) હરણી તળાવમાં એક ગોઝારી બોટ દુર્ઘટના (Harni boat accident) થવા પામી હતી. આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકાઓના મોત થયા હતા. એક વર્ષ બાદ 7 ફેબ્રુઆરી 2025ના દિવસે હવે આ મૃતકાઓના પરિવાર માટે વળતરની જાહેરાત (compensation) કરવામાં આવી છે.
Vadodara Harni Boat Tragedy: વર્ષ 2024ની 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જવાના કારણે 12 બાળકો અને બે શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાના એક વર્ષ બાદ વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી.કે. સાંબડેએ પોતાના હુકમમાં જણાવ્યું છે કે, હાઈકોર્ટ દ્વારા જાહેર હિતની અરજી (PIL)… pic.twitter.com/h1szVmM5Ag
— Gujarat Samachar (@gujratsamachar) February 7, 2025
અહેવાલો અનુસાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે કે તમામ 12 મૃતક બાળકોના પરિવારોને ₹31,75,700 તથા બંને મૃતક શિક્ષકોને અનુક્રમે ₹11,21,900 અને ₹16,68,209 વળતર ચૂકવવામાં આવે.
આ સિવાય તમામ ઘાયલોને ₹50,000 વળતર આપવાની પણ જાહેરાત કરાઈ છે. નક્કી કરાયેલ વળતરની રકમ પર જાહેર હિતની અરજી દાખલ તારીખ થયાથી લઈને ચૂકવણીના સ્મયગાળા માટે વાર્ષિક 9% વાયજ પણ ચુકવવાનો આદેશ કરાયો છે.