સોમવારે (12 મે, 2025) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ભગવાન રામને ‘કાલ્પનિક’ ગણાવવાના તેમના કથિત નિવેદન બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વારાણસીની ACJM (MP/MLA) કોર્ટમાં એડવોકેટ હરિશંકર પાંડે દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, એપ્રિલ 2025માં અમેરિકામાં એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન રામને ‘કાલ્પનિક’ પાત્ર ગણાવ્યા હતા, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. એડવોકેટ પાંડેએ આ ઘટનાને જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું છે.
A criminal complaint has been filed in Varanasi against Congress leader & LoP Rahul Gandhi over his alleged remark calling Lord Ram a "mythological" figure during a US event.
— Bar and Bench (@barandbench) May 12, 2025
Advocate Hari Shankar Pandey (complainant) termed the comment "hateful" & "controversial."… pic.twitter.com/3Q4k9Y9Ohp
ફરિયાદીએ કોર્ટને રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.
કોર્ટે કેસની સુનાવણી માટે 19 મે, 2025ની તારીખ નક્કી કરી છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ઘણા હિંદુ સંગઠનોએ અગાઉ વાંધો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે.