શુક્રવાર, 27 જૂનના રોજ અમદાવાદ (Ahmedabad) ખાતે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને (Lord Jagannath Rath Yatra) હવે માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ભગવાનની નગરયાત્રા નીકળે એ પહેલા ભગવાનની વિવિધ પ્રકારે પૂજા-વિધિ થઇ રહી છે. 25 જૂનના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિની સાથે ગજરાજ પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.
Rathyatra 2025 : ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન । Gujarat First
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી
વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ ધારણ કરે છે સોનાવેશ
ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ
"મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે" નાદ સાથે… pic.twitter.com/QhgYVGtcvO
ત્યારે આજે 26 જૂનના રોજ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોનાના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. પરંપરા મુજબ દર વર્ષે એકવાર ભગવાન સોનાવેશમાં ભક્તોને દર્શન આપે છે. આ સોનાવેશની પૂજા-વિધિ માટે કાશી, મથુરા અને વૃંદાવનથી વિશેષ સંતોનું આગમન થયું હતું. ભગવાનના સોનાવેશમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 27 જૂને યોજાનાર આ ભવ્ય રથયાત્રામાં 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 જેટલી ભજન મંડળીઓ પણ સામેલ થશે. આ ઉપરાંત રથયાત્રાની સુરક્ષામાં 20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે ઉભા રહેશે. સુરક્ષા માટે સીસીટીવી, ડ્રોન કેમેરા અને અને એન્ટી-ડ્રોન સીસ્ટમ જેવા આધુનિક ઉપકરણો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.