AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) હવે ફરી વક્ફના (Waqf Act) વિરોધમાં ઉતરી પડ્યા છે. વક્ફ કાયદાના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ’ના (AIMPLB) અભિયાનમાં જોડાઈ જઈને ઔવેસીએ પોતાના આવાસ પર લાઇટ બંધ કરીને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મીડિયાને એવું પણ કહ્યું હતું કે, વક્ફ કાયદો વક્ફ બોર્ડનો નાશ કરી દેશે.”
ઔવેસીએ કહ્યું કે, “AIMPLBનું અભિયાન સફળ રહ્યું છે. હું તે માટે બધાનો આભાર માનુ છું. આ વિરોધ PM મોદીની સરકારને સંદેશ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે આ કાયદો વક્ફ બોર્ડને કમજોર કરી નાખશે. આ કાયદો ગેરબંધારણીય છે. એકથી બે અઠવાડિયા બાદ ફરીથી તેનો વિરોધ શરૂ કરવામાં આવશે.”
"Waqf Act will destroy Waqf Board": AIMIM chief Owaisi launches AIMPLB protest
— ANI Digital (@ani_digital) May 1, 2025
Read @ANI story | https://t.co/M5Em65PpPf#Asaduddinowaisi #WaqfAct #AIMPLBprotes pic.twitter.com/ebMDirFMod
નોંધનીય છે કે, મોદી સરકારે નવો વક્ફ કાયદો લાગુ કર્યા બાદ દેશભરમાં મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. ખાસ કરીને બંગાળમાં મુસ્લિમ ટોળાંઓએ ભારે હિંસા આચરી હતી અને પોલીસ તથા BSFના જવાનો પર પણ હુમલા કરી દીધા હતા. બંગાળમાં વક્ફના વિરોધની આડમાં એક હિંદુ પિતા-પુત્રની સરજાહેર હત્યા પણ કરવામાં આવી હતી.