Wednesday, May 21, 2025
More

    ‘વક્ફ બોર્ડને તબાહ કરી નાખશે આ કાયદો’: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ સાથે ફરી Waqf ACTના વિરોધમાં ઉતરી પડ્યા ઔવેસી, ઘરની લાઈટો બંધ કરી કર્યું પ્રદર્શન

    AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસી (Asaduddin Owaisi) હવે ફરી વક્ફના (Waqf Act) વિરોધમાં ઉતરી પડ્યા છે. વક્ફ કાયદાના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ’ના (AIMPLB) અભિયાનમાં જોડાઈ જઈને ઔવેસીએ પોતાના આવાસ પર લાઇટ બંધ કરીને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મીડિયાને એવું પણ કહ્યું હતું કે, વક્ફ કાયદો વક્ફ બોર્ડનો નાશ કરી દેશે.”

    ઔવેસીએ કહ્યું કે, “AIMPLBનું અભિયાન સફળ રહ્યું છે. હું તે માટે બધાનો આભાર માનુ છું. આ વિરોધ PM મોદીની સરકારને સંદેશ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે કે આ કાયદો વક્ફ બોર્ડને કમજોર કરી નાખશે. આ કાયદો ગેરબંધારણીય છે. એકથી બે અઠવાડિયા બાદ ફરીથી તેનો વિરોધ શરૂ કરવામાં આવશે.”

    નોંધનીય છે કે, મોદી સરકારે નવો વક્ફ કાયદો લાગુ કર્યા બાદ દેશભરમાં મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. ખાસ કરીને બંગાળમાં મુસ્લિમ ટોળાંઓએ ભારે હિંસા આચરી હતી અને પોલીસ તથા BSFના જવાનો પર પણ હુમલા કરી દીધા હતા. બંગાળમાં વક્ફના વિરોધની આડમાં એક હિંદુ પિતા-પુત્રની સરજાહેર હત્યા પણ કરવામાં આવી હતી.