કોમેડિયન કુણાલ કામરાએ (Kunal Kamra) મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે (Eknath Shinde) અંગે કરેલી ટિપ્પણીના કારણે ભારે હોબાળો મચી ગયો છે. 23 માર્ચે જ શિવસેનાના કાર્યકરો કુણાલ કામરાના કાર્યક્રમનું જે સ્ટુડિયોમાં શૂટિંગ થયું હતું ત્યાં પહોંચ્યા હતા. હવે BMC ટીમ હથોડા લઈને મુંબઈના ખાર પોલીસ સ્ટેશન નજીકના હેબિટેટ સ્ટુડિયોમાં પહોંચી ગઈ છે.
BMCના અધિકારીઓ યુનિકોન્ટિનેન્ટલ સ્ટુડિયોમાં પહોંચ્યા છે. અહેવાલ અનુસાર જો સ્ટુડિયોમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. BMCના જોઈન્ટ કમિશનર વિનાયક વિસપુતે પણ ઘટના સ્થળે હાજર છે.
VIDEO | Kunal Kamra show controversy: BMC officials arrive at The Habitat Studio in Mumbai.
— Press Trust of India (@PTI_News) March 24, 2025
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/ItN7D1U22b
આ અંગે CM દેવેન્દ્ર ફડણવીસે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, “મારું માનવું છે કે કોઈને પણ કોમેડી કરવાનો અને વ્યંગ કરવાનો અધિકાર છે. તમે અમારા પર ગમે તેટલો વ્યંગ કરી શકો છો, તેમાં કોઈને કોઈ દુઃખ થતું નથી. પરંતુ જો કોઈ જાણી જોઈને આવા મોટા નેતાઓનું અપમાન અને બદનામ કરે છે, તો મને લાગે છે કે તે સહન કરવામાં આવશે નહીં. તેની સામે જે પણ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરવામાં આવશે.”