પહલગામ આતંકવાદી હુમલા પર ટિપ્પણી કરતી વખતે કર્ણાટકના એક્સાઈઝ મંત્રી આરબી તિમ્માપુરે વિવાદિત વાત કહી દીધી હતી. તેમણે આતંકવાદીઓનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે પર્યટકોને નામ પૂછીને નહીં માર્યા હોય અને જે મહિલાએ આવું કહ્યું તેમની માનસિક સ્થિતિ ત્યારે ઠીક નહીં હોય.
કોંગ્રેસ નેતાએ કહ્યું, “મને અંગતપણે નથી લાગતું કે આતંકવાદીઓએ પર્યટકોનાં નામ અને ધર્મ પૂછ્યાં હોય. આ માત્ર ઇન્ટેલિજન્સ ફેલ્યોર પર ધર્મનો રંગ ચડાવવાનો પ્રયાસમાત્ર છે. કારગિલ, પુલવામા અને હવે પહલગામ..એ કેન્દ્રના ઇન્ટેલિજન્સ ફેલ્યોરનાં ઉદાહરણ છે.”
આગળ તેમણે ભાજપ પર મૃત્યુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવી દીધો અને કહ્યું કે, આવા માહોલમાં તેમણે આવું ન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે એક નહીં પણ અનેક મૃતકોના સ્વજનોએ મીડિયા સામે, સોશિયલ મીડિયા સામે એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે ઇસ્લામી આતંકવાદીઓએ હિંદુ પર્યટકોને તેમના ધર્મ પૂછીને, ઓળખ પૂછીને, પેન્ટ ઉતારીને પુષ્ટિ કરીને જ માર્યા હતા. તેમ છતાં કોંગ્રેસ નેતા વ્હાઈટવૉશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ વાત તેમને જણાવવામાં આવી તો કહી દીધું કે મૃતકનાં પરિવારના મહિલાની ત્યારે મનની સ્થિતિ ઠીક નહીં હોય એટલે એવું કહી દીધું હશે બાકી પછીથી મુસ્લિમોએ જ તેમની મદદ કરી હતી.