મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra assembly elections) મહાયુતિ ગઠબંધનની મોટી જીત પર BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને મહા વિકાસ અઘાડી (MVA) પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કંગનાએ કહ્યું, “જે લોકો મહિલાઓનું સન્માન નથી કરતા તેમની હાર નિશ્ચિત છે. ઈતિહાસ સાક્ષી છે, દૈત્યનો (Daitya) હંમેશા અંત આવે છે.”
કંગનાએ કહ્યું, “જે લોકો દેશને તોડવાની વાત કરે છે, જનતાએ તેમને સાચો પાઠ ભણાવ્યો છે. સ્ત્રીઓનું સન્માન કરતી સરકાર જ ભગવાનની જેમ પૂજનીય છે.”
Actor-turned-politician and BJP MP from Himachal Pradesh's Mandi, Kangana Ranaut, on Sunday launched a scathing attack on Shiv Sena (UBT) chief Uddhav Thackeray, calling him a 'daitya' (monster) who "suffered this fate because he had disrespected women".
— IndiaToday (@IndiaToday) November 24, 2024
Read:… pic.twitter.com/IFtgKgzdY4
પોતાની સાથે થયેલા વિવાદને યાદ કરતાં કંગનાએ કહ્યું, “ઉદ્ધવ ઠાકરેએ મારું ઘર તોડ્યું, મારી સાથે દુર્વ્યવહાર કર્યો. તેમની હાર આજે બધું સાબિત કરી દે છે.” મહાયુતિની જીતને ઐતિહાસિક ગણાવતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ વિકાસ અને સ્થિર સરકાર માટે મત આપ્યા છે.
આ દરમિયાન કંગના રનૌતે પીએમ મોદીને ‘અજેય’ ગણાવ્યા અને કહ્યું, “વડાપ્રધાનનો જન્મ દેશના ઉદ્ધાર માટે થયો હતો. ભાજપ હવે દેશની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે.”