ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈએ (Rajdeep Sardesai) મંગળવારે નાગપુરમાં થયેલી હિંસાને (Nagpur Violence) વાજબી ઠેરવી હતી, જેમાં મુસ્લિમ ટોળાએ આગચંપી, તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો.
રાજદીપ સરદેસાઈએ એક વિડીયોમાં કહ્યું, “જો તમારે નફરત ફેલાવવી હોય, ઔરંગઝેબની કબર તોડવાની વાત કરવી હોય તો, તમારે વળતા હુમલા માટે તૈયાર રહેવું જોઈએ.” આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.
Rajdeep justifies Nagpur violence by Islamists saying if you talk against Aurangzeb Tomb, you shld be ready for Backlash.
— Ankur Singh (@iAnkurSingh) March 18, 2025
But same Rajdeep calls Hindus of Gujarat communal for reaction after Islamists burned Hindus alive in Godhra Train. pic.twitter.com/69ufGVHpc8
નાગપુરમાં ઇસ્લામિક ટોળાએ વાહનોને આગ ચાંપી, મિલકતોને નુકસાન પહોંચાડ્યું અને રસ્તાઓ પર પથ્થરો ફેંક્યાના એક દિવસ પછી સરદેસાઈનો આ વિડીયો સામે આવ્યો છે.