Wednesday, May 14, 2025
More

    પહલગામમાં આતંકીઓએ માર્યા હિંદુ પર્યટકો, તો ઝારખંડના મોહમ્મદ નૌશાદે પાકિસ્તાન અને LeTનો માન્યો આભાર: કહ્યું- RSS, BJP, બજરંગ દળ, મીડિયા પર પણ કરો હુમલો

    તાજેતરમાં પહલગામ ખાતે થયેલ આતંકી હુમલાથી (Pahalgam Terrorist Attack) આખો દેશ શોકમાં ડૂબેલો છે ત્યારે ઝારખંડના (Jharkhand) મુસ્લિમ વ્યક્તિએ આ હુમલા પર આનંદ વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી અને લશ્કર-એ-તૈયબા તથા પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મામલે પોસ્ટ કરનાર મોહમ્મદ નૌશાદની (Md. Naushad) ધરપકડ કરવામાં આવી હતી.

    સામે આવ્યું હતું કે નૌશાદની ઝારખંડના બોકારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “પાકિસ્તાનનો આભાર, લશ્કર-એ-તૈયબાનો આભાર, અલ્લાહ તમને હંમેશા આશીર્વાદ આપે, આમીન. જો RSS, BJP, બજરંગ દળ અને મીડિયા પર હુમલો થાય તો અમે વધુ ખુશ થઈશું.” આ પોસ્ટમાં તેણે હસતા ઇમોજીનો ઉપયોગ કર્યો હતો, જે દર્શાવે છે કે તે પહલગામ હુમલામાં હિંદુઓની હત્યાથી ખુશ હતો.

    Image

    TOIના અહેવાલ અનુસાર બોકારો પોલીસને નૌશાદની પોસ્ટ અંગે ફરિયાદ મળી હતી. ત્યારપછી પોલીસે તેની ધરપકડ કરી હતી જેનો વિડીયો સામે આવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસે મોઢા પર કાળું કપડું પહેરાવીને એક વ્યક્તિને લઈ જઈ રહી છે.

    એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે મોહમ્મદ નૌશાદની ધરપકડ કરી છે કારણ કે તેણે X પર પોસ્ટ કરીને પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાની પ્રશંસા કરી હતી. કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને આગળની તપાસ ચાલુ છે.” આ ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે નિંદા થઈ હતી.

    આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી પણ 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે હુમલાને લઈને વિવાદસ્પદ પોસ્ટ કરી હતી. એક આરોપી વસીમ ખાનની ભોપાલથી અને તનવીર કુરેશીની દામોહથી ધરપકડ કરવામાં આવી હતી. બંને વિરુદ્ધ