જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક વિશેષ ઑપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓ ઠાર કર્યા છે. શનિવારે (5 ઑક્ટોબર) આ બાબતની જાણકારી આપવામાં આવી.
આ કાર્યવાહી કુપવાડાના ગુગલધારમાં કરવામાં આવી. સેનાએ આતંકી ગતિવિધિઓની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને એક વિશેષ ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાત્રિથી શરૂ કરેલા ઑપરેશનમાં સવાર સુધીમાં બે આતંકવાદીઓ ઠાર કરી દેવામાં આવ્યા હતા.
Update OP GUGALDHAR, #Kupwara
— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) October 5, 2024
Two terrorists have been eliminated by the security forces in the ongoing Operation GUGALDHAR. War-like stores have been recovered.
Search of the area is underway and Operation is in progress. #Kashmir@adgpi@NorthernComd_IA
તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને ગોળા-બારૂદ મળી આવ્યા હોવાનું સેનાએ જણાવ્યું છે. આ ઑપરેશનને ‘ઑપરેશન ગુગલધાર’ નામ આપવામાં આવ્યું હતું. હાલ પણ સર્ચ ઑપરેશન ચાલી જ રહ્યું છે.
ભારતીય સેનાની પાંખ ચિનાર કોર્પ્સે એક અધિકારિક નિવેદનમાં જણાવ્યું કે, 4 ઑક્ટોબરના રોજ ઘૂસણખોરી કરવામાં આવી હોવાના ઈન્ટેલિજન્સ ઇનપુટ બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુપવાડામાં સંયુક્ત ઑપરેશન લૉન્ચ કર્યું. સુરક્ષાકર્મીઓએ શંકાસ્પદ ગતિવિધિઓ જોતાં કાર્યવાહી કરી હતી, ત્યારબાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જાણકારી મધ્ય રાત્રિએ અપાઈ હતી. ત્યારબાદ સવારે 2 આતંકીઓ ઠાર મરાયા હોવાનું જણાવવામાં આવ્યું.