Wednesday, April 16, 2025
More

    ‘આ લડાઈ હજુ પૂરી નથી થઈ, મુસ્લિમો દરેક કુરબાની આપવા છે તૈયાર’: વક્ફ એક્ટના વિરોધમાં જમિયતના મૌલાના મદનીએ મુસલમાનોને ઉશ્કેર્યા

    વક્ફ (સુધારા) કાયદા (Waqf (Amendment) Act) પર ચાલી રહેલા દેશવ્યાપી વિવાદ વચ્ચે, જમિયત ઉલેમા-એ-હિંદના (Jamiat Ulema-e-Hind) વડા મૌલાના મહમૂદ મદનીએ (Maulana Mahmood Madani) રવિવારે (13 એપ્રિલ, 2025) કહ્યું કે આ લડાઈ સમાપ્ત થશે નહીં અને મુસ્લિમ સમુદાય તેના માટે દરેક પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે.

    તેમણે કહ્યું, “આપણે આઝાદી પહેલા પણ બલિદાન આપ્યા છે. જો અમારે લડવું પડશે તો લડીશું, જો રાહ જોવી પડશે તો રાહ જોઈશું. આ ફક્ત વક્ફનો મુદ્દો નથી પણ એક રાજકીય રમત છે. આ કાયદો ક્યારેક મુસ્લિમોનો દુરુપયોગ કરીને તો ક્યારેક સહાનુભૂતિશીલ બનીને દુર્ભાવનાપૂર્ણ ઇરાદાઓ સાથે લાગુ કરવામાં આવ્યો છે.”

    દરમિયાન, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં, વક્ફ કાયદાના હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે, કોલકાતા હાઇકોર્ટની એક ખાસ બેન્ચે જિલ્લામાં તાત્કાલિક કેન્દ્રીય દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.

    હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. મમતા બેનર્જી સરકાર પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, “રાજ્ય સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે અને હિંદુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ પર મૌન છે, જે નિંદનીય છે.” દરમિયાન, કોલકાતામાં ભાજપના નેતાઓએ પણ રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ કૂચ કાઢી હતી.