સતત સાત દિવસથી ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ (Israel-Iran conflict) ચાલી રહ્યો છે અને હાલ તે થંભવાની શક્યતા નથી દેખાય રહી, કારણ કે બંને કટ્ટર હરીફોએ એકબીજા પર મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. તણાવ દરમિયાન ઘણા ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) ઈરાનમાં ફસાયા હતા. વિદ્યાર્થીઓને બચાવવા (rescued) માટે, ભારત સરકારે પહેલા તેમને જમીની સરહદ દ્વારા આર્મેનિયા લવાયા અને પછી ત્યાંથી તેમને ભારત પાછા લાવવા માટે ફ્લાઇટ્સનું આયોજન કરી એરલિફ્ટ કાર્ય હતા.
ચાલુ યુદ્ધને કારણે ઈરાનમાં હવાઈ ક્ષેત્ર બંધ છે અને ફસાયેલા વિદ્યાર્થીઓને જમીન સરહદ દ્વારા બહાર કાઢવા પડ્યા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ તેમના ઘરે પાછા ફરવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાથી ખુશ નથી દેખાય રહ્યા. કાશ્મીરની એક વિદ્યાર્થીની શેખ અફસાએ કહ્યું કે તેઓ થાકી ગયા છે અને મુસાફરીના છેલ્લા તબક્કામાં બસ દ્વારા ઘરે પાછા ફરવું તેમના માટે મુશ્કેલ બનશે.
हम दिल्ली से श्रीनगर बस में ठूंस कर नहीं जाएंगे… बहुत थक चुके हैं।
— Vaishali Poddar (@PoddarVaishali) June 19, 2025
अब तो कश्मीर भी फ्लाइट से ही जाना है वो भी सरकारी खर्चे पर!
ईरान से लौटाए गए ये 'स्पेशल नागरिक' अब हिंदुस्तान में VIP ट्रीटमेंट मांग रहे हैं। pic.twitter.com/Mrt7xi6WTM
તેણે વધુમાં કહ્યું કે તેમને આપવામાં આવેલી બસો ખરાબ હાલતમાં હતી. તેણે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને તેમની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરી છે.
ईरान से निकाले गए मुफ़्तखोर दिल्ली एयरपोर्ट पर विरोध प्रदर्शन कर रहे हैं
— Ocean Jain (@ocjain4) June 19, 2025
"हम बसों में यात्रा नहीं करेंगे, हम डोर-टू-डोर एयरलाइन सेवा चाहते हैं!"
भारत सरकार का धन्यवाद तो कर नहीं सकते ऊपर से इनका अलग ड्रामा शुरू हो गया है
इनको पहली फुर्सत में ईरान वापिस छोड़ कर आओ pic.twitter.com/yP0fdz5ScD
સાથે કાશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીઓના અન્ય એક ગ્રુપે પણ વિડીયો બનાવીને માંગ કરી હતી કે તેઓને બસથી નહીં પરંતુ ફ્લાઇટથી કાશ્મીર મોકલવામાં આવે.