ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનમાં કાર્યરત એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ નામના પાકિસ્તાનીને ISI તરફથી જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ‘પર્સોના નોન ગ્રાટા’ જાહેર કર્યો છે. અહેવાલો અનુસાર, વિદેશ મંત્રાલયે મંગળવાર, 13 મેના રોજ પાકિસ્તાન હાઈકમિશનને આ વાત જણાવી છે. એહસાન ઉર રહીમ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં સ્ટાફ મેમ્બર તરીકે કામ કરતો હતો અને તેને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
#BREAKING: One Pakistan High Commission New Delhi based ISI operative under diplomatic cover namely Ehsan Ur Rahim @ Danish has been declared Persona-Non Grata by Govt. of India for his involvement in espionage activities. Punjab Police had cracked the case on Sunday after…
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025
વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે , “ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે મેળ ખાતી ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યા છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન હાઈકમિશનના ચાર્જ ડી’ અફેર્સે આજે આ અંગે ડિમાર્ચ જારી કર્યું હતું.”
અહેવાલો અનુસાર, પંજાબ પોલીસે ગયા અઠવાડિયે અમૃતસરમાં રહીમ માટે ભારતીય સેનાની જાસૂસી કરતા બે વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ આ કાર્યવાહી ધરાઈ છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓના સંપર્ક તરીકે રહીમની ઓળખ કરવામાં આવી હતી અને પંજાબ પોલીસે કેન્દ્ર સરકારને જાણ કર્યા પછી MEAએ રહીમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.