આજે ભારતીય નૌકાદળ દિવસ (Indian Navy Day) છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આ અવસર પર ભારતીય નૌકાદળના બહાદુર કર્મચારીઓની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે દેશ ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ પર ગર્વ કરે છે.
PM મોદીએ પોતાની X પોસ્ટમાં લખ્યું હતું કે, “નૌકાદળ દિવસ પર, આપણે સૌ ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને નમન કરીએ છીએ જેઓ અજોડ હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રોનું રક્ષણ કરે છે.”
On Navy Day, we salute the valiant personnel of the Indian Navy who protect our seas with unmatched courage and dedication. Their commitment ensures the safety, security and prosperity of our nation. We also take great pride in India’s rich maritime history. pic.twitter.com/rUrgfqnIWs
— Narendra Modi (@narendramodi) December 4, 2024
નોંધનીય છે કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ના (Operation Trident) સન્માનમાં દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે, ભારતીય નૌકાદળે પાકિસ્તાનના મુખ્ય બંદર શહેર કરાચી પર હુમલો કર્યો. આ ઓપરેશને એક મોટી સૈન્ય જીત ઉપરાંત ભારતની વધતી જતી નૌકા શક્તિનું પ્રદર્શન કર્યું હતું.