પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ થઈ રહેલી ડિપ્લોમેટિક સ્ટ્રાઈકમાં વધુ એક નિર્ણય ઉમેરાયો છે. હવે ભારત સરકારે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના ડાક-પાર્સલ વ્યવહારો પર રોક લગાવી દીધી છે.
The Government of India has decided to suspend exchange of all categories of inbound mail and parcels from Pakistan through air and surface routes: Ministry of Communication pic.twitter.com/23S6ci7nAB
— ANI (@ANI) May 3, 2025
કોમ્યુનિકેશન મંત્રાલયના પોસ્ટ વિભાગ દ્વારા શનિવારે (3 મે) આ જાણકારી આપવામાં આવી. જે અનુસાર હવેથી પાકિસ્તાનની હવાઈ માર્ગે કે જમીન માર્ગે આવતા ડાક અને પાર્સલની આપ-લે પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે થોડા કલાક પહેલાં જ ભારત સરકારે પાકિસ્તાનની આવતી તમામ પ્રકારની, પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાકિસ્તાનનાં જહાજો માટે ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ભારતીય જહાજોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ પાકિસ્તાનનાં બંદરો પર નહીં જાય.