પહલગામ આતંકવાદી હુમલા બાદ આતંકના ગઢ એવા પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને આ જ ક્રમમાં હવે વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સર્વિસ તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે.
કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, 27 એપ્રિલ 2025ની અસરથી પાકિસ્તાની નાગરિકોને ભારત તરફથી મંજૂર કરવામાં આવેલા તમામ પ્રકારના વિઝા રદબાતલ ગણવામાં આવશે.
In continuation of the decisions made by the Cabinet Committee on Security in the wake of the Pahalgam terror attack, the Government of India has decided to suspend visa services to Pakistani nationals with immediate effect. All existing valid visas issued by India to Pakistani… pic.twitter.com/P2Du6Dvc9Q
— ANI (@ANI) April 24, 2025
આ સિવાય મેડિકલ વિઝા 29 એપ્રિલ 2025 સુધી જ માન્ય રહેશે.
મંત્રાલયે કહ્યું છે કે, ભારતમાં હાલ જેટલા પાકિસ્તાની નાગરિકો રહે છે તેમણે વિઝાની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ ભારત છોડી દેવું પડશે. ઉપરાંત ભારતીય નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનની યાત્રા કરવાનું ટાળે. જે ભારતીય નાગરિકો હાલ પાકિસ્તાનમાં છે તેઓ પણ વહેલામાં વહેલી તકે ભારત પરત ફરે તેમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બુધવારે (23 એપ્રિલ) સાંજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને મળેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં પાકિસ્તાનીઓને સાર્ક વિઝા એક્ઝેમ્પ્શન સ્કીમ હેઠળ મંજૂર કરવામાં આવતા વિઝા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ સિવાય ભારતે સિંધુ જળ સંધિ પર પણ રોક લગાવી દીધી છે.