પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત (India) સતત કાર્યવાહી કરી રહ્યું છે અને પાકિસ્તાન (Pakistan) દુનિયાના ઘણા દેશો પાસેથી સમર્થન મેળવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તેવામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ ભારતને વિશ્વમાંથી સમર્થન પણ મળી રહ્યું છે. હવે અમેરિકાએ (USA) ભારતને આતંકવાદ (Terrorism) વિરુદ્ધ મદદ માટેનું વચન આપ્યું છે. અમેરિકી સંસદના સ્પીકરે આ માટેની જાહેરાત કરી છે.
“We will help India fight terrorism,” says U.S. Speaker Mike Johnson#KashmirAttack #IndiaUSRelations #PahalgamAttack #MikeJohnson #FightTerrorism #USSupportsIndia pic.twitter.com/9o4ytupdl9
— Business Today (@business_today) May 6, 2025
અમેરિકી સંસદના સ્પીકર માઇક જ્હોન્સને જણાવ્યું છે કે, ભારતને કોઈપણ ભોગે આતંકવાદ વિરુદ્ધ લડવું પડશે. અમેરિકા ભારતનો સાથ આપવા માટે તૈયાર છે. અમેરિકા મદદ માટેના તમામ પ્રયાસો કરવા માટે તૈયાર છે. ટ્રમ્પ પ્રશાસન આતંકવાદનો સામનો કરવા માટે ભારતને તમામ સંસાધનો આપશે અને સાથ પણ આપશે.
તેમણે કહ્યું કે, અમેરિકા દરેક પ્રયાસો કરશે. ટ્રમ્પ પ્રશાસન સ્પષ્ટપણે તેના મહત્વને સમજે છે અને આતંકવાદના જોખમને પણ સારી રીતે સમજે છે. આ સાથે તેમણે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને પણ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ તેમના સહયોગી સાથે ઊભા છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે આ નિવેદન આપ્યું છ.