સોમવાર, 19 મેના રોજ, ભારતની સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના નાગરિકની જેલની સજા ભોગવ્યા બાદ તેના દેશનિકાલને પડકારતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ (Supreme Court) કોર્ટે કહ્યું કે ભારત કોઈ ‘ધર્મશાળા’ (Dharamshala) નથી જે વિશ્વભરના શરણાર્થીઓને આશ્રય આપી શકે.
“શું ભારતે વિશ્વભરના શરણાર્થીઓને આશ્રય આપવો જોઈએ? આપણે પહેલાથી જ 140 કરોડની વસ્તી સાથે ઝઝૂમી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી જ્યાં આપણે દરેક જગ્યાએથી વિદેશી નાગરિકોનું સ્વાગત કરી શકીએ,” ન્યાયાધીશ દીપાંકર દત્તા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું.
India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.
— Live Law (@LiveLawIndia) May 19, 2025
Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq
જ્યારે અરજદાર કે જે શ્રીલંકાના તમિલ નાગરિક છે, તેણે શ્રીલંકામાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને દેશનિકાલથી રક્ષણ માંગ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “બીજા કોઈ દેશમાં જાઓ.” આ પછી તેઓએ તેની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ દત્તાએ તો પૂછ્યું, “તમારે અહીં સ્થાયી થવાનો શું અધિકાર છે?”