પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ એક તરફ મોદી સરકાર કડક નિર્ણયો લઈ રહી છે અને બીજી તરફ ભારતીય સેના (Indian Army) અને અન્ય સુરક્ષાદળો અનેક ઑપરેશન પાર પાડી રહ્યા છે. આ જ કાર્યવાહી દરમિયાન સેનાએ આતંકવાદીઓના ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) ઇમ્તિયાઝ અહમદને (Imtiaz Ahemad) પકડી પાડ્યો હતો. તે ઇસ્લામી આતંકીઓને કાશ્મીરમાં બેઝ બનાવીને આપતો હતો અને બધી મદદ પૂરી પાડતો હતો. તે સ્થાનિક કાશ્મીરી હતો અને આતંકીઓનો મદદગાર હતો.
સેનાની કાર્યવાહી દરમિયાન તેણે સ્વીકાર્યું કે તે સેનાના અનેક ઠેકાણાં વિશે જાણે છે. સર્ચ ઑપરેશન દરમિયાન તે સેનાને આતંકીઓના ઠેકાણાં તરફ લઈ જઈ રહ્યો હતો. જોકે, તેના મગજમાં કોઈ અન્ય પ્લાન ચાલી રહ્યો હતો. તે આગળ જઈ રહ્યો હતો અને સેનાના જવાનો તેની પાછળ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને દક્ષિણ કાશ્મીરના વાટું અહરબલમાં આવેલા વિશા નામના ઝરણામાં કૂદી પડ્યો.
#Watch: Drone footage Released, Body of youth recovered from Kulgam Nallah, He was OGW, had knowledge of 2 Pakistani Militants , hideouts; tried to escape via river route, dies: Police pic.twitter.com/ZqugNmFWul
— Kashmir Post (@KashmirPostNews) May 4, 2025
પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાથી તેનું મોત થયું. ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને કાશ્મીરના રાજકારણમાં ગરમાવો ઊભો થયો હતો. આતંકીના મદદગાર ઇમ્તિયાઝના પરિવારે સેના પર મોતનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ પણ તેમાં ઝંપલાવ્યું હતું અને નિષ્પક્ષ તપાસની વાત કરી હતી અને સેના પર આંગળી ઊભી કરી હતી.
ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે તેનો વિડીયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે પાણીમાં પોતાની જાતે ડૂબ્યો છે અને તેના કારણે તેનું મોત થયું છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.