Thursday, May 22, 2025
More

    દૂન હૉસ્પિટલના પરિસરમાં બની હતી ગેરકાયદેસર મજાર, ધામી સરકારના આદેશ બાદ ધ્વસ્ત કરાઈ

    દહેરાદૂન સ્થિત દૂન હૉસ્પિટલમાં બનેલી એક ગેરકાયદેસર મજાર રાજ્યની પુષ્કર સિંઘ ધામી સરકારના આદેશ બાદ હટાવી દેવામાં આવી છે. ઋષિકેશના એક વ્યક્તિએ મુખ્યમંત્રી પોર્ટલ પર આ બાબતની ફરિયાદ કરી હતી, ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

    મજાર હૉસ્પિટલના ગેટ પર જ બની હતી, જેને હટાવવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. દરમ્યાન એક વ્યક્તિએ સીએમ પોર્ટલ પર આ બાબતની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા. તપાસમાં મજાર ગેરકાયદેસર હોવાનું સામે આવતાં જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 

    કાર્યવાહી વિશે જિલ્લા અધિકારી સવિન બંસલે જણાવ્યું કે, “ગેરકાયદેસર મજાર વિશે તપાસ કરવામાં આવી હતી. હૉસ્પિટલ પ્રશાસન પાસેથી પણ તેની વિગતો મંગાવવામાં આવી હતી. અહીંના ખાદિમને પણ નોટિસ મોકલવામાં આવી, પણ ક્યાંયથી કોઈ દસ્તાવેજો ન મળ્યા. ત્યારબાદ મોડી રાત્રે નગરનિગમ, લોકનિર્માણ વિભાગ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે મળીને મજાર ધ્વસ્ત કરી દીધી હતી.”

    ઉલ્લેખનીય છે કે ધામી સરકાર સતત રાજ્યમાં આવાં ગેરકાયદેસર બાંધકામો ચિહ્નિત કરીને હટાવતી રહી છે. આ પહેલાં સેંકડો ગેરકાયદેસર મજાર, દરગાહ હટાવવામાં આવી ચૂકી છે.