પહલગામ આતંકી હુમલાને કેન્દ્ર સરકાર કડક પગલાં લઈ રહી છે. સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લઈને પાકિસ્તાનના સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ (SVES) રદ્દ કરી દીધી હતી તથા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહ આ બાબતને સુનિશ્ચિત કરવા સતત કામ કરી રહ્યા છે. શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર તેમણે તમામ મુખ્યમંત્રીઓને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે, જેમાં તેમના રાજ્યોમાં રહેતા પાકિસ્તાનીઓને દેશમાંથી બહાર કાઢવાનો સમાવેશ થાય છે.
केंद्रीय गृह मंत्री अमित शाह सभी मुख्यमंत्रियों से बात कर रहे हैं और उनसे अपने-अपने राज्यों में सभी पाकिस्तानी नागरिकों की पहचान करने और उनकी शीघ्र पाकिस्तान वापसी सुनिश्चित करने के लिए कदम उठाने को कहा: सूत्र pic.twitter.com/5Xa2AIFTTc
— ANI_HindiNews (@AHindinews) April 25, 2025
ANIના અહેવાલ મુજબ અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવા જણાવ્યું હતું. શાહે મુખ્યમંત્રીઓને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન પરત મોકલવા માટે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
Union Home Minister #AmitShah is speaking to all chief ministers on the issue, asking them to identify all #Pakistan nationals in their respective states and take steps to ensure their prompt return to Pakistan, as per reports.
— The Times Of India (@timesofindia) April 25, 2025
LIVE updates 🔗https://t.co/Fs6ZUsyOh6… pic.twitter.com/7lCvyWKEZ6
આ હુમલાને પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગ્રૂપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કારણે પાકિસ્તાન વિરુદ્ધ આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.