Friday, May 23, 2025
More

    ‘પાકિસ્તાનીઓની ઓળખ કરો અને વહેલી તકે પરત મોકલો’: ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના CM સામે ટેલિફોનીક વાતચીત કરી આપ્યા નિર્દેશ

    પહલગામ આતંકી હુમલાને કેન્દ્ર સરકાર કડક પગલાં લઈ રહી છે. સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લઈને પાકિસ્તાનના સાર્ક વિઝા એક્ઝેમ્પશન સ્કીમ (SVES) રદ્દ કરી દીધી હતી તથા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહ આ બાબતને સુનિશ્ચિત કરવા સતત કામ કરી રહ્યા છે. શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર તેમણે તમામ મુખ્યમંત્રીઓને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા છે, જેમાં તેમના રાજ્યોમાં રહેતા પાકિસ્તાનીઓને દેશમાંથી બહાર કાઢવાનો સમાવેશ થાય છે.

    ANIના અહેવાલ મુજબ  અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવા જણાવ્યું હતું. શાહે મુખ્યમંત્રીઓને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન પરત મોકલવા માટે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.

    આ હુમલાને પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ગ્રૂપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કારણે પાકિસ્તાન વિરુદ્ધ આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.