Wednesday, May 14, 2025
More

    ભારતનો એવો ભય કે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ છોડી રહ્યા છે દેશ, ટપાટપ પડી રહ્યા છે રાજીનામાં: હર્ષ સંઘવીએ કહ્યું- યહ ડર અચ્છા હૈ

    પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે અને પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લઈ રહી છે. આ ઉપરાંત સેના પણ કાશ્મીરમાં આતંકીઓના ઘર તબાહ કરી રહી છે. ત્યારે ભારતના ડરથી પાકિસ્તાની સેનામાં (Pakistani Army) પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

    અહેવાલ અનુસાર પાકિસ્તાની સેનામાં આંતરિક તણાવની સ્થિતિ છે. સેનામાં આર્મી ચીફ અસીમ મુનીરનો વિરોધ થઈ રહ્યો છે અને સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. પાકિસ્તાની સેનાને ભારતનો ડર સતાવી રહ્યો છે જેના પરિણામે સામૂહિક રાજીનામાં આપ્યા હોવાના અહેવાલ છે.

    ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનની ઠેકડી ઉડાવતી પોસ્ટ કરી છે. તેમણે X પર લખ્યું છે કે, “યહ ડર અચ્છા હૈ!! પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે, મધ્યમ સ્તરના અધિકારીઓ ડરના કારણે સામૂહિક રીતે રાજીનામું આપી રહ્યા છે.”

    એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે પહલગામ હુમલા બાદ ભારતના એક પછી એક લેવાયેલા કડક એક્શન અને કડક વલણના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. એક તરફ પાકિસ્તાને પણ શેખી મારવા શિમલા કરાર રદ્દ કરી દીધો છે જેના વિપરીત પરિણામ ભારત કરતા પાકિસ્તાનને વધૂ ભોગગવા પડે એમ છે.