Wednesday, May 14, 2025
More

    ‘આતંકીઓને શરણ આપનારા અને મદદ કરનારાઓને નહીં છોડાય, લેવાશે કઠોર અને નિર્ણાયક પગલાં’: PM મોદી

    વડાપ્રધાન મોદીએ શનિવારે (3 મે) હૈદરાબાદ હાઉસમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆજો મેન્યુઅલ ગોંકાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ સાથે દ્વિપક્ષિત બેઠક પણ થઈ હતી. વડાપ્રધાન મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિનું સ્વાગત પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આતંકવાદને લઈને મોટું નિવેદન પણ આપ્યું હતું.

    સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન તેમણે અનેક મુદ્દે વાત કરી હતી. આતંકીઓના મદદગારો અને શરણ આપનારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, “અમે આતંકવાદીઓ અને તેના મદદગારો વિરુદ્ધ કઠોર અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈમાં સમર્થન આપવા બદલ હું અંગોલાનો આભાર વ્યક્ત કરું છું.”

    PM મોદીએ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મૃત્યુ પામનારા લોકો પ્રત્યે અંગોલાના રાષ્ટ્રોપતિએ વ્યક્ત કરેલી સંવેદનાને લઈને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે અંગોલાને અનેકવિધ મદદની જાહેરાત પણ કરી છે.