હાલ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારોની સિઝન ચાલી રહી છે. દિવાળીના આ તહેવારોમાં લોકોને અગવડ ના પડે એટલે ગુજરાત ટ્રાફિક પોલીસે એક અગત્યની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોસ્ટ કરીને આ બાબતે જાણકારી આપી છે.
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2024
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે
તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા…
એક નવતર પ્રયોગ અંતર્ગત 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી એટલે કે તહેવારો દરમિયાન ગુજરાત ટ્રાફિક પોલીસના જવાનો પાવતી બુકના સ્થાને ફૂલ અને ટ્રાફિક અવેરનેશના પેન્ફ્લેટ લઈને ઊભા રહેશે.
આ દિવસો દરમિયાન તેઓ વાહન ચાલકોને નિયમ ભંગ કરવા બદલ દંડની પાવતીના સ્થાને ફૂલ અને પેનફ્લેટ આપીને તેમણે નિયમો પાળવા માટે પ્રેરિત કરશે.