અદાણી જૂથના (Adani group) ચેરમેન ગૌતમ અદાણીએ (Gautam Adani) જૂથની વાર્ષિક બેઠકમાં (AGM) ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ‘ઑપરેશન સિંદૂર’નો (Operation Sindoor) ઉલ્લેખ કર્યો હતો. અદાણીએ ભારતીય સેના અને તેના સાહસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “ઑપરેશન સિંદૂર દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ દુનિયાને બતાવ્યું કે તેઓ ન તો પ્રસિદ્ધિ માટે ઉભા છે કે ન તો કોઈ મેડલ માટે. તેઓ ફક્ત અને ફક્ત પોતાના કર્તવ્ય માટે ઉભા છે. ભારત શાંતિનું મહત્વ સમજે છે. પરંતુ જો કોઈ ભારતને આંખ બતાવશે, તો ભારત તેને તેની ભાષામાં જવાબ આપવાનું પણ જાણે છે.”
#WATCH | Ahmedabad | Adani Group Chairperson Gautam Adani says, "… When it comes to Adani Defence, Operation Sindoor called, and we delivered. Our drones became the eyes in the skies as well as the swords of attack, and our anti-drone systems helped protect our forces and… pic.twitter.com/XSwc0KUVfi
— ANI (@ANI) June 24, 2025
અદાણીએ ઑપરેશન સિંદૂરમાં અદાણી ડીફેન્સની (Adani Defence) ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંબોધનમાં ગૌતમ અદાણીએ કહ્યું કે, “જ્યારે અદાણી ડીફેન્સની વાત કરવામાં આવે છે, ત્યારે ઑપરેશન સિંદૂર શરૂ થયું અને અમે સફળ પુરવાર થયા. અમારા ડ્રોન આકાશમાં આંખો અને હુમલામાં તલવારો બન્યા. અમારી એન્ટી-ડ્રોન સિસ્ટમ્સે આપણા સુરક્ષાદળો અને નાગરિકોનું રક્ષણ કરવામાં મદદ કરી. જેમ હું હંમેશાથી માનતો આવ્યો છું, અમે સેફ ઝોનમાં કામ નથી કરતા, અમે ત્યાં કાર્ય કરીએ છીએ જ્યાં તેની જરૂર છે, જ્યાં ભારતને અમારી સૌથી વધુ જરૂર છે…”