7 મેની વહેલી સવારે ભારતે પાકિસ્તાનને પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જે અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ (Vikram Misri) પ્રેસ કોન્ફરન્સમાં ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવ્યો અને ભારતની સુરક્ષા નીતિ અંગે સ્પષ્ટતા કરી.
વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, “પહેલગામ હુમલાના દોષીઓ અને તેના ષડ્યંત્રકાઓને ન્યાયના કટઘરે લાવવું અત્યંત જરૂરી હતું. 15 દિવસ વીતી ગયા હોવા છતાં, પાકિસ્તાને તેના વિસ્તારમાં આતંકવાદીઓના માળખા સામે કોઈ નક્કર પગલાં લીધા નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આવા હુમલાઓ સામે ચોક્કસ અને જવાબદારીપૂર્ણ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.
#WATCH | #OperationSindoor | Foreign Secretary Vikram Misri says,"…It was deemed essential that the perpetrators and planners of the Pahalgam attack be brought to justice. Despite a fortnight having passed, there has been no demonstrable step from Pakistan against terrorists'… pic.twitter.com/OIZcCOvSSx
— ANI (@ANI) May 7, 2025
વિક્રમ મિસ્રીએ પાકિસ્તાનને આતંકવાદીઓ માટે ‘સુરક્ષિત આશ્રયસ્થાન’ ગણાવ્યું અને ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાને આ હુમલાઓની જવાબદારી સ્વીકારવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાની બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ પણ ભાગ લીધો હતો.