રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર સ્થિત એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠા માળે ચાલી રહેલા ફર્નિચરના કામ દરમિયાન શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
#WATCH | Gujarat | Fire broke out at Atlantis Building in Rajkot. Fire teners are at the spot. More details awaited. pic.twitter.com/phRYEBqkq5
— ANI (@ANI) March 14, 2025
આ ઘટનાને લઈને ACP બીજે ચૌધરીએ જણાવ્યું છે કે, સવારે 9થી 10 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. ત્રણ લોકોના મૃત્યુ થયા છે. એક ઇજાગ્રસ્તને હાલ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું સામે આવ્યું છે. હાલ આગ કાબૂમાં છે, બધા જ લોકોને બચાવી લેવાયા છે.
#WATCH | Rajkot, Gujarat | SP BJ Chaudhary says, "Three people have lost their lives, and one injured person has been admitted to hospital for treatment. All the people living in the flat have been evacuated. The fire has been brought under control, and the situation is normal at… https://t.co/LuXdnkreCT pic.twitter.com/Z2OtcDudwa
— ANI (@ANI) March 14, 2025
વધુમાં જાણવા મળ્યું છે કે, દોઢથી બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવામાં આવ્યો છે. આ સાથે જ રાજકોટ પોલીસ કમિશનર, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પણ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.