તેલંગાણા હૈદરાબાદમાં એક ઇમારતમાં આગ લાગતાં 17 વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં છે, જેમાં 6 બાળકો સામેલ છે.
હૈદરાબાદના ચારમિનાર નજીક આવેલ ગુલઝાર હાઉસમાં આગ લાગી ગઈ હતી. આ ઇમારતમાં કમર્શિયલ દુકાનો અને રહેણાંક ફ્લેટ બંને આવેલાં છે. લગભગ સવારે સાડા પાંચ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેણે ઇમારતને ચપેટમાં લઈ લીધી.
#BreakingNews | 17, including 8 children, killed in fire at Gulzar House near Charminar. PM Modi announces ₹2 lakh ex-gratia to relatives of each deceased and ₹50,000 for injured@pvramanakumar shares more details#Hyderabad #Charminar #GulzarHouse | @Elizasherine pic.twitter.com/kwhufp579a
— News18 (@CNNnews18) May 18, 2025
આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હોવાનું કહેવાય છે, જ્યાંથી ધુમાડો ઉપર ફેલાતો ગયો. આગ લાગતાંની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી, જેમણે ફાયર ટેન્ડરો મોકલ્યાં અને કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી. બે કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
ઘટનામાં 17 જણને બચાવી ન શકાયા, જેમનાં કરૂણ મોત નીપજ્યાં. મૃતકોમાં 70 વર્ષીય વૃદ્ધોથી માંડીને નાનાં બાળકો સુધી સામેલ છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર પૂરી પાડવા અને રેસ્ક્યુ ઑપરેશનમાં ઝડપ લાવવા માટે આદેશ આપ્યા હતા. પીએમ મોદીએ પણ આ બનાવ પર પીડા વ્યક્ત કરીને મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તો માટે વળતરની ઘોષણા કરી છે.