મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) શિવસેના (UBT) નેતા અરવિંદ સાવંતની શિવસેના (Shivsena) નેતા શાઇના એનસી (Shaina NC) વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી પર ગુસ્સે છે. સીએમએ કહ્યું છે કે આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની સખત નિંદા થવી જોઈએ. તેમણે કહ્યું કે, જો બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) જીવતા હોત તો તેમણે આવા નિવેદનોનો જડબાતોડ જવાબ આપ્યો હોત અને તેમને ચૂપ કરી દીધા હોત.
"If Balasaheb were alive, he would have broken his mouth": Maharashtra CM Shinde slams Arvind Sawant for his "imported maal" remark
— ANI Digital (@ani_digital) November 2, 2024
Read @ANI Story | https://t.co/AleaWry6dH #EknathShinde #Maharashtraassemblypolls pic.twitter.com/j9x12Egi7P
સીએમ શિંદેએ કહ્યું કે શિવસેના (યુબીટી)ની વાસ્તવિકતા હવે સામે આવી છે. તેમનો દાવો છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરે છે, પરંતુ તેમના કાર્યો તેની સાથે મેળ ખાતા નથી. ઉલ્લેખનીય છે કે અરવિંદ સાવંતે શાઈના એનસીને ‘માલ’ કહીને બોલાવ્યા હતા.
મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે ભૂતકાળમાં પણ આવા નિવેદનોથી મહિલાઓનું અપમાન થયું છે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં મહિલાઓ તેમનું અપમાન કરનારાઓને પાઠ ભણાવશે.