Wednesday, May 14, 2025
More

    ‘કાશ્મીરમાં 27 હિંદુ માર્યા છે અહીં 2700ને મારીશું’: બિહારના છાપરામાં સાહિબાન અંસારી અને તેના સાથીઓએ ફળ ખરીદવા આવેલ વ્યક્તિને આપી ધમકી

    26 એપ્રિલે બિહારના (Bihar) છાપરામાં પૈસાની લેવડદેવડને લઈને વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન હિંસા પણ થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ઉલ્લેખ છે કે સાહિબાન નામક દુકાનદાર અને તેના સાથીઓએ એક હિંદુ વ્યક્તિને એવી ધમકી આપી હતી કે ‘કાશ્મીરમાં 27 હિંદુઓની હત્યા કરવામાં આવી છે, અહીં 2700 હિંદુઓની હત્યા કરવામાં આવશે.’

    આ મામલો જિલ્લાના ઇસુઆપર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવ મોહમ્મદપુર ગામનો છે. અમરિંદર પ્રસાદ નામક વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે, “શનિવારે, મેં સાહિબાન અંસારીની ફળોની દુકાનમાંથી ₹50માં એક ડઝન કેળા ખરીદ્યા. જેના માટે મેં દુકાનદારને ₹500ની નોટ આપી. જ્યારે મેં તેને બાકીના ₹450 પાછા આપવા કહ્યું, ત્યારે તેણે દલીલ શરૂ કરી. આ બાબતે હોબાળો થયો, ત્યારબાદ સાહિવાન અન્સારીએ મારા અને મારા મિત્રને ગાળો બોલવાની શરૂ કરી દીધી.”

    थाने में दिए गए आवेदन की फोटो।
    ફરિયાદની કોપી (ફોટો: દૈનિક ભાસ્કર)

    તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, “જ્યારે અમે બંનેએ સાથે મળીને તેમને ગાળો બોલતા અટકાવ્યા, ત્યારે તેમના પડોશીઓ મિન્ટુ અંસારી, સાબીર અંસારી, સિરાજ અંસારી, ખુર્શીદ અંસારી, શમશાદ અંસારી, જાવેદ હાસમી અને 20 અજાણ્યા લોકો લાકડીઓ અને સળિયા લઈને ત્યાં પહોંચ્યા અને કહેવા લાગ્યા કે તાજેતરમાં કાશ્મીરમાં 27 હિંદુઓની હત્યા કરવામાં આવી છે અને અહીં પણ 2700 હિન્દુઓની હત્યા કરવામાં આવશે.”

    આ દરમિયાન ફરિયાદીએ તેમની સાથે મારપીટ થઈ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું એ પોલીસની ગાડી આવી છતાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સ્થાનિક વહીવટીતંત્રે શાંતિ જાળવવા અપીલ કરી છે.